મહીસાગરના માનગઢ હીલ ખાતે આદિવાસી બલિદાન દિવસની ઉજવણી કરવામાં આવી
Live TV
-
મહીસાગર જિલ્લામાં આવેલ આદિવાસી સમાજની આસ્થાના પ્રતિક એવા માનગઢ હીલ ખાતે આદિવાસી બલીદાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરની ઉપસ્થિતમાં માગશર સુદ પૂનમના દિવસે માનગઢ ક્રાંતિનાં મહાનાયક આદિવાસીઓના ભેરુ અને સ્વાધીનતા સંગ્રામના પ્રણેતા એવા ગોવિંદ ગુરુ તેમજ 1507 જેટલાં આદિવાસી શહીદ વીરોને શ્રદ્ધાંજલિ આપવા માનગઢ આદિવાસી બલીદાન દિવસની ઉજવણી કરવામાં આવી.
જે અંતર્ગત માનગઢની પરિક્રમા પણ સૌપ્રથમ વાર કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહીસાગર જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડ, મોરવા હડફ ના ધારાસભ્ય નિમિષા બેન સુથાર, જિલ્લા કલેકટર, અધિક કલેકટર, જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.