મહીસાગર: સરકારે કડાણા ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડતા ખેડૂતોના પાકને મળ્યુ નવુ જીવન
Live TV
-
ગુજરાતમાં ચોમાસાના આગમન બાદ ખેડૂતોએ વાવેતર કરવાના શરુ કર્યા હતા. ત્યારબાદ રાજ્યમાં વરસાદ ખેંચાયો છે. ત્યારે મહીસાગર જિલ્લામાં પણ વાવણી કર્યા બાદ વરસાદ ન થતા ખેડૂતોમાં પાક સુકાઇ જવાની ભીતિઓ સેવાઇ રહી હતી, પરંતુ સરકારે કડાણા ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડતા ખેડૂતોના પાકને નવુ જીવન મળ્યુ છે અને ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.
કડાણા ડેમમાંથી કડાણાના ડાબા કાંઠા નહેરમાં 300 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નહેરના કમાન્ડ વિસ્તારમાં સિંચાઈનું પાણી મળતા ખેડૂતોના પાક ફરી ખીલી ઉઠ્યા છે. મહત્વપૂર્ણ છે કે, ડાંગરના પાકની ખેતી મહીસાગર જિલ્લામાં વધુ થવાથી પાણીની પણ જરુર વધુ પડે છે. વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતા તુર થયા હતા પરંતુ સરકારે સિંચાઇ માટે પાણી આપતા ખેડૂતો ખુશ થયા છે.
