મુખ્યમંત્રીએ દાહોદને રુ. 313.99 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી
Live TV
-
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દાહોદ જિલ્લાને રુપિયા 313.99 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી હતી. દાહોદ જિલ્લાના સીંગવડ ખાતે વિવિધ 55 પ્રકલ્પોનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે, અમૃતકાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના છેવાડના માનવીને મુખ્ય ધારામાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારત સંકલ્પ યાત્રા અને મોદીની ગેરંટીવાળો રથ દેશના ખૂણે ખૂણે પહોંચી રહ્યો છે. જેનાથી વંચિતો અને ગરીબોને મળવાપાત્ર લાભ તેમના ઘર સુધી પહોંચી રહ્યા છે. કાર્યક્રમમાં મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર અને બચુભાઈ ખાબડ વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ સાંસદ જસવંત સિંહ ભાભોર વગેરે હાજર રહ્યા હતા.
