મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જુનાગઢ જિલ્લા સહકારી બેંકની જુથ, સુત્રાપાડા અને વડોદરા ઝાલાની શાખાનું ઉદ્દઘાટન કર્યું
Live TV
-
સહકારી ક્ષેત્રમાં બેંકની કામગીરીને બિરદાવી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જુનાગઢ જિલ્લા સહકારી બેંકની જુથ, સુત્રાપાડા અને વડોદરા ઝાલાની શાખાનું ઉદ્દઘાટન કર્યું. સહકારી બેંકની કામગીરી અને વિવિઘ યોજનાઓ અંગે માહિતી મેળવી હતી. સહકારી ક્ષેત્રમાં બેંકની કામગીરીને બિરદાવી હતી. કૃષિમંત્રી રાઘવજી પટેલ અને અન્ય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સહકારીતાથી સમૃદ્ધિ તરફ જઇ શકાય છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા જૂનાગઢ ખાતે ઉપરકોટના કિલ્લાનું લોકાર્પણ કરવામાં આવશે. ગુજરાત સરકારના પ્રવાસન નિગમ દ્વારા કિલ્લાનું Restoration કરવામાં આવ્યું છે.. રુપિયા 74 કરોડના ખર્ચે રિસ્ટોર કરવામાં આવેલી આ ઐતિહાસિક ધરોહર ખુલ્લી મુકવાની સાથે પર્યટકોને પણ લાભ મળશે. ઉપરકોટનો કિલ્લો સૌથી ઐતિહાસિક કિલ્લો ગણાય છે અને તેની જાળવણી કરવાના ભાગરૂપે સમારકામ કામ શરુ કરાયું હતું.