મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આજે મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જાણકારી આપતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વેપાર, વાણિજ્ય અને આર્થિક પ્રવૃતિના એકમોને સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. લારી, રેકડી, નાની સ્થાયી કેબીન, મોટી કેબીન, નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન, મોટી દુકાન, નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધરાવતા અસરગ્રસ્ત લોકોને રાજ્ય સરકારે અસરગ્રસ્તોને બેંક લોન માટે વ્યાજની સબસિડીની સહાય આપવાનું પણ નક્કી કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, અ રાજ્યમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાંઅતિવૃષ્ટિથી રૂપિયા 77 લાખ 45 હજારથી વધુ રકમની કેશડોલ્સની ચુકવણી કરાઇ છે.
રાજ્યમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વરસાદથી નુકશાન પામેલ ઘરવખરી માટે રૂ. 4 કરોડ 96 લાખ 77 હજારથી વધુ રકમની ચુકવણી કરવામાં આવી હોવાનું મંત્રીએ કહ્યું હતું.
