મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ 29 ઓગસ્ટે યોજાશે
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં દર મહિનાના ચોથા ગુરૂવારે યોજાતો રાજ્ય સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ આ મહિને 29 ઓગસ્ટે યોજાશે. ગુજરાત વિધાનસભાના ત્રિ-દિવસીય સત્રને અનુલક્ષીને 22મી ઓગસ્ટે યોજાનારો આ રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ઓગસ્ટ મહિનાના 5માં ગુરુવાર એટલે કે 29 ઓગસ્ટના રોજ યોજવામાં આવશે.
મહત્વનું છે કે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના છેવાડાના માનવીના પ્રશ્નોના સુખદ નિરાકરણ સુધી પહોંચવાના ઉદ્દેશને ચરિતાર્થ કરવા ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ 'સ્વાગત'ની વર્ષ 2003થી શરૂઆત કરાવેલી છે.
