મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી રાજ્યવ્યાપી પોલિયો અભિયાનનો કરાવ્યો પ્રારંભ
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી રાજ્યવ્યાપી પોલિયો અભિયાનનો કરાવ્યો પ્રારંભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘બાળ લકવા નાબૂદી અભિયાન-2024’ અન્વયે નેશનલ ઇમ્યુનાઈઝેશન ડે 23 જૂન 2024 અંતર્ગત રાજ્યવ્યાપી પોલિયો વિરોધી રસીકરણનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો.
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ અભિયાન અંતર્ગત 0થી 5 વર્ષની વય જૂથના 83 લાખ 72 હજારથી વધુ ભૂલકાઓને આવરી લેવાનું આયોજન છે. આ હેતુસર 1 લાખ 33 હજાર 956 આરોગ્ય કર્મીઓ સેવારત રહીને રાજ્યના 33,489 પોલિયો બુથ પરથી બાળકોને ટીપાં પીવડાવવાની કામગીરીમાં જોડાશે.
સમગ્ર રાજ્યમાં 23 જૂન 2024 ના રવિવારને પોલિયો રવિવાર તરીકે મનાવીને આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તારીખ 24અને 25 જૂનના દિવસોએ આરોગ્ય કર્મીઓ હાઉસ ટુ હાઉસ ફરીને 0 થી 5 વર્ષના ભૂલકાઓને પોલિયો ટીપાં પીવડાવશે.
