મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સફાઈ કર્મચારીઓ સાથે સીએમ ડેશ બોર્ડથી સંવાદ કર્યો
Live TV
-
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સીએમ ડેશ બોર્ડ અને જનસંવાદ કેન્દ્રના માધ્યમથી રાજ્યના સફાઈ કર્મચારીઓ સાથે સંવાદ કર્યો હતો..હાલના મુશ્કેલ સંજોગોમાં ખૂબ જ નિષ્ઠાપૂર્વક સફાઇ સેવા માટે સતત સેવા કરી રહેલા તમામ સફાઇ કામદારોની સેવાને બિરદાવવાની સાથે તેમનો ઉત્સાહ વધાર્યો હતો.મુખ્યમંત્રીએ વિવિધ શહેરોમાં કામ કરતા સફાઇસેવકોને હ્યદયપૂર્વક અભિનંદન પાઠવતા કહ્યું કે, તમે લોકોની બહુ મોટી સેવા કરો છો તમે હિંમતપૂર્વક અને નિષ્ઠા દાખવીને કામ કરો છો કોઇપણ તકલીફ હોય તો જણાવજો. તો સફાઇસેવકોએ જેવા પાયાના કર્મચારીઓ માટે લાગણી અને ચિંતા રાખવા બદલ મુખ્યમંત્રીના કાર્યની સરાહના કરી આભાર વ્યક્ત કર્યો હતો.