મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શિક્ષણ કલ્યાણ નિધિમાં ફાળો અર્પણ કર્યો
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિને ગુરૂવર્યોના સમાજ દાયિત્વનો ઋણસ્વીકાર કરતાં શિક્ષક કલ્યાણ નિધિમાં પોતાનો ફાળો અર્પણ કર્યો હતો.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિને ગુરૂવર્યોના સમાજ દાયિત્વનો ઋણસ્વીકાર કરતાં શિક્ષક કલ્યાણ નિધિમાં પોતાનો ફાળો અર્પણ કર્યો હતો. શિક્ષક કલ્યાણનિધિમાં સ્વૈચ્છિક ફાળો લેવા માટે આજે સવારે મુખ્યમંત્રી નિવાસસ્થાને ગાંધીનગરની શાળાના બાળકો પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ તેમની સાથે સંવાદ કરીને ગુરૂજનો પ્રત્યેના તેમના આદરભાવનું આદાન-પ્રદાન કર્યુ હતું. આ વેળાએ જિલ્લા કલેકટર કુલદીપ આર્ય, જિલ્લા વિકાસ અધિકારી શાલિની દુહાન, જિલ્લા શિક્ષણાઅધિકારી વાઢેર અને અન્ય અધિકારીઓ પણ જોડાયા હતા.
