મેઘમહેર બાદ ડાંગના ખેડૂતોએ કર્યા વાવણીના શ્રી ગણેશ
Live TV
-
મેઘમહેર બાદ ખેડૂતોએ કર્યા વાવણીના શ્રી ગણેશ કર્યા છે. આજે વરસાદે વિરામ લેતા ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે.
ચોમાસાની શરૂઆતમાં જ વરસેલા વરસાદના કારણે ડાંગ જિલ્લાનું વાતાવરણ ખુશનુમા બની ગયું છે. જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે જોર પકડયું હતું. મેઘમહેર બાદ ખેડૂતોએ કર્યા વાવણીના શ્રી ગણેશ કર્યા છે. આજે વરસાદે વિરામ લેતા ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે. મહત્વની વાત એ છે કે જિલ્લામાં વરસાદી સિઝનમાં ડાંગર, નાગલી, અડદ જેવા અન્ય પાકોનું વાવેતર કરવામાં આવે છે, ત્યારે ખેડૂતો આનંદની લાગણી સાથે ડાંગરની વાવણીના કામે લાગી ચૂક્યા છે. તો હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે કરી સામાન્ય વરસાદની આગાહી કરી છે.