રાજ્યમાં કોરોનામાં મૃત્યુ પામનાર માતા-પિતાના અનાથ બાળકો માટે સરકારની વધુ એક જાહેરાત
Live TV
-
રાજ્યમાં કોરોના મહામારી દરમિયાન અનાથ થયેલા બાળકો માટે સરકારે વધુ એક સહાયની જાહેરાત કરી છે. પાલક માતા પિતા યોજના કે મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત કન્યા 18 વર્ષની ઉંમરે લગ્ન કરે તો તેને 2 લાખ રૂપિયાની સહાય સરકાર આપશે.
રાજ્યમાં કોરોના મહામારી દરમિયાન અનાથ થયેલા બાળકો માટે સરકારે વધુ એક સહાયની જાહેરાત કરી છે. પાલક માતા પિતા યોજના કે મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત કન્યા 18 વર્ષની ઉંમરે લગ્ન કરે તો તેને 2 લાખ રૂપિયાની સહાય સરકાર આપશે. 1 એપ્રિલ 2023 પછી લગ્ન કરનાર કન્યાઓને આ સહાયનો લાભ મળવાપાત્ર છે. આ લાભ લેવા માટે લાભાર્થી કન્યાએ લગ્ન કર્યા બાદ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ખાતે સહાય માટે અરજી કરવાની રહેશે. આ મામલે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે.