મોરબીના યુવા શિલ્પકારે ચોક પર જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીની 2cm ની મુર્તિઓ કંડારી
Live TV
-
મોરબીના રાજ્ય પારિતોષિક વિજેતા યુવા શિલ્પકાર કમલેશ પ્રજાપતિએ અષાઢીબીજ નિમિતે ચોકસ્ટિક પર બારીકાઈથી કોતરણી કરીને 2 સેન્ટીમીટરની ભગવાન જગન્નાથજી, બલભદ્રઝી અને બહેન સુભદ્રાજી એમ ત્રણ અલગ-અલગ મૂર્તિઓ બનાવી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ કમલેશભાઈ પ્રજાપતિએ સોપારી પર જુદી-જુદી પ્રતિકૃતિઓ બનાવી છે. આ સાથે ક્લે વર્ક, વુડ વર્ક, પેઈન્ટિંગ સહિત સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત પણ પ્રતિમાઓ બનાવેલ છે. કમલેશભાઈને આ કારીગરી માટે રાજ્ય સરકાર દ્વારા તામ્ર પત્ર, શિલ્ડ, સાલ અને ચેક અર્પણ કરાયા છે અને રાજ્યના શ્રેષ્ઠ કલાકાર તરીકે સન્માનિત મળેલ છે.
