મોરબીમાં સાંસદ મોહનભાઇ કુંડારીયાના હસ્તે મામલતદાર કચેરીનું ઊદઘાટન કરવામાં આવ્યુ
Live TV
-
મોરબી જિલ્લામાં છેલ્લાં કેટલાય સમયથી મામલતદાર કચેરીની વ્યવસ્થાની માંગ ઊઠી હતી. આ કચેરીનુ ઊદઘાટન અને લોકાર્પણ થતા લોકોના પ્રશ્નોને વાચા મળી રહેશે તેમજ અધિકારી અને કર્મચારીઓ ની મદદથી લોકોની મુશ્કેલીઓનો અંત આવશે તેવો મત મોહનભાઈએ વ્યક્ત કર્યો હતો.
મોરબીમાં સાંસદ મોહનભાઇ કુંડારીયાના હસ્તે મામલતદાર કચેરીનું ઊદઘાટન કરવામાં આવ્યુ હતુ. મોરબી જિલ્લામાં છેલ્લાં કેટલાય સમયથી મામલતદાર કચેરીની વ્યવસ્થાની માંગ ઊઠી હતી. આ કચેરીનુ ઊદઘાટન અને લોકાર્પણ થતા લોકોના પ્રશ્નોને વાચા મળી રહેશે તેમજ અધિકારી અને કર્મચારીઓ ની મદદથી લોકોની મુશ્કેલીઓનો અંત આવશે તેવો મત મોહનભાઈએ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે અગ્રણીઓ તથા ઉચ્ચ અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા જ્યાં એ ગ્રેડની નગરપાલિકા હોય ત્યાં શહેરી મામલતદાર કચેરીની સુવિધા આપવાની થાય છે.
