મોરબી: નારાયણ સેવા સંસ્થાન દ્વારા નિઃશુલ્ક કૃત્રિમ હાથ પગ બનાવવાના કેમ્પનું આયોજન
Live TV
-
આ કેમ્પથી દિવ્યાંગોના જીવનમાં પડતી મુશ્કેલીઓનો અંત આવશે
મોરબીના નારાયણ સેવા સંસ્થાન ઉદેપુર દ્વારા નિશુલ્ક કૃત્રિમ હાથ પગ બનાવવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મોરબી, રાજકોટ, કચ્છ, જામનગર, ભાવનગર, દેવ ભુમિ દ્વારકા, સુરેન્દ્રનગર જિલ્લામાંથી 200થી વધારે લાભાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં નિષ્ણાંતોએ કૃત્રિમ હાથ પગ સાઇઝ મુજબ તૈયાર કરવા માટે માપ લેવાની કામગીરી શરુ કરી હતી. જે તૈયાર થયા બાદ દિવ્યાંગ લાભાર્થીઓને આપવામાં આવશે. આ કેમ્પથી દિવ્યાંગોના જીવનમાં પડતી મુશ્કેલીઓનો અંત આવશે અને તેમણે આયોજકોનો આભાર માન્યો હતો.
