મોરબી પંથકમાં નર્મદા કેનાલમાં પડયું ભંગાણ
Live TV
-
ભુગર્ભ સાયફનનો સ્લેબ બેસી જતા તંત્ર દવારા સ્થળ પર તાત્કાલિક અસરથી રીપેરીંગ કામ શરુ કરી દેવામાં આવ્યું
મોરબી પંથકના હળવદ પાસે રણમલપુર નજીક નર્મદા કેનાલમા અચાનક જ ભંગાણ સામે આવતા ,તાકીદની અસરથી કેનાલમા પાણી પુરવઠો બંધ કરવા ફરજ પડી હતી. ભુગર્ભ સાયફનનો સ્લેબ બેસી જતા તંત્ર દવારા સ્થળ પર તાત્કાલિક અસરથી રીપેરીંગ કામ શરુ કરી દેવામાં આવ્યું હતું .આ પરિણામે માળીયા તરફ જતી કેનાલમાં પાણી પુરવઠો બંધ કરાતા ખેડૂતોમાં થોડી નારાજગી ઉભરી આવી હતી. આ અંગે નાયબ કાર્યપાલક ઈજનેર મેખીયા એ જણાવ્યું હતું કે, જો આ કામ સત્વરે રીપેરીંગ ના થાત તો ભવિષ્યમા મેાટી નુકસાની અને દુર્ઘટના ઘટી હોત.આશાછેકે સત્વરે કામ પુર્ણ થાય અને તાત્કાલીક નર્મદાની કેનાલ મા સિચાઈનુ પાણી છોંડવામા આવશે .આ તકે મોરબી માલીયા ના ધારાસભ્ય બ્રીજેશ મેરજાએ ખેડૂતોની વ્યથાને સમજી તુરંત પાણી પૂરું પાડવા માંગણી કરી હતી
