યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો આજે પાંચમો દિવસ
Live TV
-
યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો આજે પાંચમો દિવસ
યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો આજે પાંચમો દિવસ છે. છેલ્લા ચાર દિવસમાં 20.34 લાખ જેટલા શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરે દર્શન નો લાભ લઇ ચુક્યા છે. ભક્તો દ્વારા અંબાજી મંદિરમાં દાન સ્વરુપે 1.12 કરોડ રુપિયા મળ્યા છે. જ્યારે ચાર દિવસમાં 16 ગ્રામ સોનું પણ દાન સ્વરુપે મંદિર ટ્રસ્ટને ભક્તો દ્વારા અપાયુ છે. વિવિધ પગપાળા સંઘો જય જય અંબેના નાદથી અંબાજી પહોંચી રહ્યા છે. મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓ માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે. અંબાજી જતા યાત્રિકો માટે અનેક પ્રકારની સગવડ સેવાભાવી લોકો દ્વારા સેવા કેમ્પો યોજી કરી રહ્યા છે.
