યાત્રાધામ સોમનાથની આસપાસના વિસ્તારને વેજ ઝોન જાહેર કરવા ઠરાવ પસાર
Live TV
-
જો કે તેઓ દ્વારા આ ઠરાવને સત્વરે અમલી બનાવવાની માંગણી કરવામાં આવી છે.
વેરાવળ, પ્રભાસ પાટણની, સંયુક્ત નગરપાલિકાની કારોબારીએ યાત્રા ધામ સોમનાથ આસપાસના વિસ્તારને વેજ ઝોન જાહેર કરવા અંગે ઠરાવ પસાર કર્યો છે. આ ઠરાવ પસાર કરતાં હિંદુ યુવા સંગઠનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
જો કે તેઓ દ્વારા આ ઠરાવને સત્વરે અમલી બનાવવાની માંગણી કરવામાં આવી છે. સોમનાથ વિસ્તાર એટલે કે, સેન્ટ મેરી સ્કૂલથી કાજલી સુધી વેજ ઝોન જાહેર કરવા વેરાવળ ખાતે હિન્દુ યુવા સંગઠનો દ્વારા વિશાળ બાઇક રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
જે અન્વયે વેરાવળ અને પ્રભાસ પાટણ સંયુક્ત નગરપાલિકાની કારોબારી કમિટીએ આ અંગે ઠરાવ પસાર કર્યો છે.
