રાજકોટમાં આજી ડેમ છલકાઇ જતાં CM વિજયભાઈ રૂપાણીએ નીરના વધામણાં કર્યા
Live TV
-
આગામી વર્ષ 2022 સુધીમાં રાજ્યના તમામ ઘરોમાં "નલ સે જલ યોજના" અંતર્ગત નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી અપાશે - વિજયભાઈ રૂપાણી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજરોજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજકોટ ખાતે આજી ડેમ છલકાઇ જતાં નીરના વધામણાં કરવામાં આવ્યા હતા. રાજકોટ શહેરને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડતો આજી ડેમ ઓવરફ્લો થતા રાજકોટવાસીઓમાં આનંદની લહેર જોવા મળે છે. ગુજરાતમાં હવે "પાણીનો દુષ્કાળ ભૂતકાળ બનશે". આગામી વર્ષ 2022 સુધીમાં રાજ્યના તમામ ઘરોમાં "નલ સે જલ યોજના" અંતર્ગત નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી અપાશે.
