રાજકોટ ખાતે જળસંચય યોજના ભાગરૂપે નવું તળાવ બનાવવાનું ખાતમૂહુર્ત કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
Live TV
-
13 હજારથી વધુ તળાવો ઉંડા કરીને રાજયમાં 11 હજાર લાખ ઘનફૂટ પાણી સંગ્રહ કરવાનું કરાયું છે આયોજન
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટ ખાતે જળસંચય યોજનારૂપે રેકકોર્સ ખાતે નવું તળાવ બનાવવા ખાતમૂહુર્ત કર્યુ હતું. ત્યારબાદ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના કુમારડી ગામે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવ ઉંડું કરવાનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર જળ સંચયનો કાર્યક્રમ જનભાગીદારીથી ચાલી રહ્યો છે. હાલમાં છ હજાર તળાવોને ઊંડા કરવાની કામગીરી ચાલી રહી છે. તેમણે ઉમેર્યું કે 13 હજારથી વધુ તળાવો ઉંડા કરીને રાજયમાં 11 હજાર લાખ ઘનફૂટ પાણી સંગ્રહ કરવાનું આયોજન છે. કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી તથા અધિકારીઓ અને જિલ્લાના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
