રાજકોટ: નર્મદાનું 300 ક્યુસેક પાણી ન્યારી ડેમ સુધી પહોંચાડવાનો મુખ્યમંત્રીનો નિર્ણય
Live TV
-
રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા ન્યારી ડેમમાં સરકાની સૌની યોજના અન્વયે નર્મદા નદીનું 300 ક્યુસેક જેટલું પાણી પહોંચાડવા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કેટલીક સૂચનાઓ આપી છે. જે અનુસાર આજ સવારથી આ પાણી પહોંચાડવા માટે પમ્પિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત સૌની યોજના અંતર્ગત રાજકોટના ન્યારી ડેમમાં પહોંચાડવામાં આવનાર આ પાણી મંગળવાર એટલે કે 20 મી જુલાઈના રોજ સવાર સુધીમાં રાજકોટના ન્યારી ડેમમાં પહોંચશે.
ન્યારી ડેમ મારફત આ પાણી રાજકોટ શહેરને પૂરું પાડવાનું શરૂ થવાથી પશ્ચિમ રાજકોટના લોકો નાગરિકોની પીવાના પાણીની સુવિધામાં વધારો થશે અને તેમના પીવાના પાણી અંગેના પ્રશ્નોનો અંત આવશે.
