રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં મચ્છરોનો ત્રાસ: જળકુંભી દૂર કરવા મશીનરી મોકલવા CMનો આદેશ
Live TV
-
રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં છેલ્લા એક સપ્તાહથી મચ્છરોના ત્રાસ થી ખેડૂતો, વેપારીઓ અને મજૂરો પરેશાન થઇ રહ્યા છે. મંગળવારે સાંજે જિલ્લા કલેકટર, મનપા કમિશ્નર અને યાર્ડના સંચાલકો વચ્ચે એક બેઠક યોજવામાં આવી હતી. બાદમાં તંત્ર દ્વારા ઝડપથી યોગ્ય કાર્યવાહી કરી પ્રશ્નના નિકાલ અર્થે ખાતરી આપવામાં આવી હતી. અધિકારીઓના સ્થળ તપાસ બાદ યાર્ડ ખાતે સાંજના સમયે ફોગિંગની કાર્યવાહી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેને લઇ ગઈકાલે સાંજે 6.30 વાગ્યાથી 9 વાગ્યા સુધી ફોગિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. સાથે જ જળકુંભી દૂર કરવા ખાસ મશીનરી મોકલવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદેશ કર્યો છે. આ મશીનરી ન આવે ત્યાં સુધી રોજ સાંજના સમયે ફોગિંગ કાર્યવાહી કરવામાં આવશે.
