સ્ટેચ્યુ ઑફ યુનિટીઃ પ્રવાસીઓ નજીકના ગામોમાં રહી શકે તે માટે હોમ સ્ટેની સુવિધા
Live TV
-
સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે ત્યારે અહીં આવતા પ્રવાસીઓ નજીકના ગામોમાં રહી શકે અને સ્થાનિકોને રોજગારી મળે તે માટે સરકારના સીએસઆર ફંડમાંથી સ્થાનિક પરિવારોના ઘરમાં હોમ સ્ટેની સુવિધા બનાવવામાં આવી રહી છે.
હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દરરોજ 15 થી 20 હજાર પ્રવાસીઓ આવી રહ્યા છે, જેમને રેહવાની સગવડ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીકના ગામોમાં સરકાર દ્વારા હોમ સ્ટેનો પ્રોજેક્ટ અમલીકરણ કરવામાં આવી રહ્યો છે. આ હોમ સ્ટે માટે પાલનાઘર ,એર કંડીશનર, ફ્રીઝ, ટીવી, સોફા સેટ જેવી વસ્તુ પણ સરકાર દ્વારા આપવામાં આવે છે.
આ માટે કેવડિયાની આસપાસના ગામમાં હોમ સ્ટે પ્રોજેક્ટ હેઠળ સર્વે કરી 116 સ્થાનિક પરિવારની પસંદગી કરવામાં આવી છે .
