રાજકોટ મનપાની લાલ આંખ: મિલકત વેરો નહીં ભરનારાઓની 100 જેટલી મિલકતો સિલ
Live TV
-
રાજકોટ મહાનગર પાલિકા દ્વારા બાકીદારો સામે લાલ આંખ કરી મેગા ઝુંબેશ શરૂ કરાઈ છે. શહેરના ૧૮ વોર્ડમાં મિલકતવેરો વસૂલવા માટે મનપા કમિશ્નર દ્વારા ,એક્શન પ્લાન ઘડી કુલ ૩૬ ટીમોને કાર્યરત કરાઈ છે. શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારમાં ,કુલ ૧૦૦ થી વધુ મિલકત સિલ કરવામાં આવી છે. જ્યારે બીગ બજારનો ,૯૭ લાખ ૬૭ હજાર ૧૭૭ રૂપિયાનો વેરો ,ભરવાનો બાકી હોવાથી ,મનપાની વેરા વસુલાત શાખા દ્વારા ,બિગ બજારને પણ સીલ કરી દીધું છે. આ ઉપરાંત વિજયકાંત ફાઉન્ડરી, પેન્ટાલૂન, રાધેક્રિષ્ના જ્વેલર્સ સહિતની મિલકતો પણ સીલ કરવામાં આવી છે. આમ વેરા-વસુલાત શાખા દ્વારા 142 યુનિટને સીલ કરી 1 કરોડ 8 લાખ રૂપિયાની વસુલાત કરવામાં આવી છે.
