રાજકોટ શહેરમાં વિવિધ તહેવારોને અનુલક્ષીને પોલીસ કમિશનરનું જાહેરનામું
Live TV
-
રાજકોટ શહેરમાં વિવિધ તહેવારોને અનુલક્ષીને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જન્માષ્ટમીના તહેવારમાં મટકી ફોડનો કોઈ પણ જાહેર કાર્યક્રમ ન યોજવા માટે શહેરીજનોને અપીલ કરી છે. સાથે જ શહેરના ન્યારી ડેમ, આજી ડેમ તેમજ ઈશ્વરીયા પાર્ક સહિતના ફરવાના સ્થળોએ લોકોને ન જવા માટે અપીલ કરવામાં આવી છે. પોલીસ કમિશનરે જન્માષ્ટમીની સાથોસાથ ગણપતિ મહોત્સવ તેમજ મોહરમમાં પણ કોઈ પણ પ્રકારના કાર્યક્રમોન યોજવા માટે શહેરીજનોને અપીલ કરી છે.
