રાજયના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રથયાત્રા પહેલા સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યુ
Live TV
-
ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને પોલીસ કમિશનર પણ ખાસ જોડાયા હતાં અને સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું હતું.. અને રથયાત્રાને લઈને સુરક્ષાની સમીક્ષા કરી હતી.
અમદાવાદમાં નિયમોને આધિન ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાવા જઈ રહી છે... ત્યારે જે રૂટ પર રથયાત્રા નીકળવાની છે તેવા રૂટ પર પોલીસ દ્વારા ખાસ રિહર્સલ કરવામાં આવ્યું હતુ.. આ દરમિયાન ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને પોલીસ કમિશનર પણ ખાસ જોડાયા હતાં અને સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું હતું.. અને રથયાત્રાને લઈને સુરક્ષાની સમીક્ષા કરી હતી.. ત્યાર બાદ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પોલીસના કાફલા સાથે સરસપુરના રણછોડ મંદિર ખાતે પહોંચ્યા હતાં જ્યાં તેમણે ભગવાન રણછોડ રાયના દર્શન કર્યા હતાં.
