રાજયસભાની બંને ખાલી પડેલી બેઠક પર પહેલી માર્ચે યોજાશે ચૂંટણી
Live TV
-
રાજયમાં રાજસભાના બે સાંસદ અહેમદ પટેલ અને અભય ભારદ્રાજના નિધન બાદ બંને બેઠકો ખાલી પડી હતી. જેને લઇને હવે બંને બેઠકો પર ફરીથી ચૂંટણી યોજાશે. જેમાં રાજકોટની બેઠક પરથી ભાજપના સાંસદ અભય ભારદ્વાજનું નિધન થયું.. અને ભરૂચની બેઠક પરથી કોંગ્રેસના સાંસદ અહમદ પટેલનું નિધન થયું..
રાજયમાં રાજસભાના બે સાંસદ અહેમદ પટેલ અને અભય ભારદ્રાજના નિધન બાદ બંને બેઠકો ખાલી પડી હતી. જેને લઇને હવે બંને બેઠકો પર ફરીથી ચૂંટણી યોજાશે. જેમાં રાજકોટની બેઠક પરથી ભાજપના સાંસદ અભય ભારદ્વાજનું નિધન થયું.. અને ભરૂચની બેઠક પરથી કોંગ્રેસના સાંસદ અહમદ પટેલનું નિધન થયું.. જયારે રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણી પહેલી માર્ચે યોજવામાં આવશે. સવારે 9થી 4 વાગ્યા સુધી મતદાન યોજાશે. બંને બેઠકોનું મતદાન અલગ અલગ થશે. રાજ્યસભાની ચૂંટણીનું જાહેરનામું 11 ફેબ્રુઆરીએ જાહેર થશે. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 ફેબ્રુઆરી છે. 19 ફેબ્રુઆરીએ ઉમેદવારોએ ફોર્મ ભરવાનું રહેશે.ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી રાખવામાં આવી છે.
