રાજ્યના નાગરિકોના ‘ઇઝ ઓફ લિવિંગ’માં વધારો કરવા રૂપિયા 453.72 કરોડની મુખ્યમંત્રીની ગ્રાન્ટ ફાળવણીની મંજૂરી
Live TV
-
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વધુ 3 વર્ષ એટલે કે 2026-27 સુધી ચાલુ રાખવામાં આવશે.
રાજ્યના નગરો-મહાનગરોમાં વસતા નાગરિકોના ‘ઇઝ ઓફ લિવિંગ’માં વધારો કરવા અને વિવિધ વિકાસ કામો માટે રૂપિયા 453.72 કરોડની મુખ્યમંત્રીએ ગ્રાન્ટ ફાળવણીની મંજૂરી આપી છે. આ રકમ રાજ્યના પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકા તેમજ બોરસદ, કડી, ચોટીલા, સાવરકુંડલા, વિરમગામ, વેરાવળ- પાટણ સંયુક્ત નગરપાલિકા, વડનગર, રાજુલા, પ્રાંતિજ, સોજીત્રા, દેવગઢબારીયા, હાલોલ, ઉમરેઠ અને બારેજા નગરપાલિકાઓ માટે ફાળવી છે.
જે અંતર્ગત સોમનાથ મંદિર અને આસપાસના વિસ્તારમાં વિકાસ, ગાંધીનગર મહાનગરપાલિકામાં નવા સમાવિષ્ટ વિસ્તારોના કામો અને વડનગર સહિત 9 નગરપાલિકાઓમાં ભૂગર્ભ ગટર યોજનાનો સમાવેશ થાય છે. શહેરી જનજીવન સુખાકારીમાં મહત્વનું પ્રદાન કરતી આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વધુ 3 વર્ષ એટલે કે 2026-27 સુધી ચાલુ રાખવામાં આવશે.
