રાજ્યના 26 સંસદીય મત વિસ્તારમાં ફરશે રથ
Live TV
-
આગામી લોકસભા ચૂંટણીની તૈયારી માટે ભાજપે કમર કસી લીધી છે. પ્રધાનમંત્રીની મન કી બાતની સફળતા બાદ ભારતના મનની વાતને ભાજપ પોતાના સંકલ્પ પત્રમાં જગ્યા આપવા માગે છે. તે માટે ગઈકાલે 26 રથને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ભાજપ માત્ર ઘોષણા પત્ર કે વચનો આપવા નથી માગતો. જનતા પાસેથી મંતવ્ય જાણીને સંકલ્પ પત્ર બનાવવા માગે છે. આ સૂચનો સીધા પ્રધાનમંત્રીને મળશે. ભાજપ પ્રદેશ પ્રમુખ જિતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે આ 26 રથ ગુજરાતના 26 સંસદીય મત વિસ્તારોમાં ફરશે. એક બેઠકમાં તે લગભગ ચાર દિવસ સુધી રહેશે. તેના દ્વારા લોકો પોતાના મનના વિચાર મંતવ્ય કે સૂચન ભાજપને પહોંચાડી શકશે.
