APL પરિવારોને રેશનકાર્ડ દીઠ 4 લીટર રાહત દરે કેરોસીન મળશે
Live TV
-
મુખ્યમંત્રી વિજ્યભાઈ રૂપાણીએ રાજ્યમાં ગેસ જોડાણ ન ધરાવતા એ.પી.એલ. પરિવારોને ફેબ્રુઆરી-2019 થી રેશનકાર્ડ દીઠ 4 લીટર રાહત દરે કેરોસીન પુરવઠો આપવા નિર્ણય કર્યો છે. જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ એ.પી.એલ. પરિવારોને દર મહિને ચાર લીટર કેરોસીન મળશે. મુખ્યમંત્રીના જિલ્લા પ્રવાસો દરમિયાન લોક પ્રતિનિધિઓએ કરેલી રજૂઆતોને પગલે મુખ્યમંત્રીએ આ નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત રાજ્યના આઠ મહાનગરપાલિકા વિસ્તારને બાદ કરતાં તમામ વિસ્તારમાં કાર્ડદીઠ ચાર લિટર કેરોસીન મળશે. રાજ્યના 47 લાખ પરિવારોને આ નિર્ણયનો લાભ મળશે
