લોકસભા ચૂંટણીમાં ભાજપનું અભિયાન , "ભારત કે મન કી બાત મોદી કે સાથ"
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરથી રથોનું કરાવ્યું પ્રસ્થાન
આગામી લોકસભા ચૂંટણીની તૈયારી માટે , ભાજપે કમર કસી લીધી છે. વડા પ્રધાનની મન કી બાતની સફળતા બાદ , ભારતના મનની વાતને , ભાજપ પોતાના સંકલ્પ પત્રમાં જગ્યા આપવા માગે છે. તે માટે આજે 26 રથને , મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ જણાવ્યું હતું , કે ભાજપ માત્ર ઘોષણા પત્ર , કે વચનો આપવા નથી માગતો. જનતા પાસેથી મંતવ્ય જાણીને , સંકલ્પ પત્ર બનાવવા માગે છે. આ સૂચનો સીધા વડા પ્રધાનને મળશે. ભાજપ પ્રદેશ પ્રમુખ જિતુભાઈ વાઘાણીએ કહ્યું હતું , કે આ 26 રથ , ગુજરાતના 26 સંસદીય મત વિસ્તારોમાં ફરશે. એક બેઠકમાં , તે લગભગ ચાર દિવસ સુધી રહેશે. તેના દ્વારા લોકો, પોતાના મનના વિચાર, મંતવ્ય, કે સૂચન ,, ભાજપને પહોંચાડી શકશે
