રાજ્યની આર્થિક સ્થિતિને પુનઃકાર્યરત કરવા માટે પૂર્વ નાણાં સચિવ હસમુખ અઢિયાની વિશેષ કમિટીની રચના : અશ્વિની કુમાર
Live TV
-
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે સોશિયલ મિડીયા દ્વારા પત્રકાર પરિષદમાં માહિતી આપતા કહ્યુ હતુ કે આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં રાજ્યની હાલની કોરોનાની સ્થિતિ, શરુ થયેલા ઉદ્યોગોની સ્થિતિ અને લોકડાઉન બાદની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. તો પૂર્વ નાણાં સચિવ હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં આર્થિક સુધારા માટે વિશેષ કમિટીની રચના કરી હતી. જેમાં આઇઆઇએમના પૂર્વ પ્રોફેસર રવિન્દ્ર ધોળકિયા, ટેક્સ નિષ્ણાંત મુકેશ પટેલ, આર્થિક બાબતોના નિષ્ણાંત પ્રદીપ શાહ , નિવૃત સિનિયર આઇએએસ અધિકારી કિરીટ શેલતનો સમાવેશ કરાયો છે. જ્યારે સભ્ય સચિવ તરીકે જીઆઇડીસીના એમ.ડી. એમ. થેનાર્સનની નીમણુક કરાઇ છે. જે એક મહિનામાં રિપોર્ટ આપશે. જેના આધારે રાજ્યના આર્થિક વિકાસની બ્લુપ્રિન્ટ તૈયાર કરાશે.
