રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળસપાટીમાં વધારો
Live TV
-
ઉપરવાસમાં સારા વરસાદ અને મધ્યપ્રદેશના ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના વીજ મથકો ચાલતા થયા.
ઉપરવાસમાં સારા વરસાદ અને મધ્યપ્રદેશના ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના વીજ મથકો ચલાવાતા રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે.નર્મદા ડેમની જળસપાટી 124.80 મીટરે પહોંચી છે.અને ઉપરવાસમાંથી 3 હજાર 997 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.જેના કારણે ડેમમાં દર કલાકે 1થી 2 સેન્ટીમીટર જળસપાટી વધી રહી છે.તો હાલ ડેમમાંથી 10 હજાર 155 ક્યુસેક પાણી મુખ્ય કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે.આ તરફ 2 હજાર 78 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો હોવાને કારણે CHPH પાવર હાઉસના 2 યુનિટ ચાલુ કરાયા છે.
