રાજ્યમાં આગામી 24 અને 25 નવેમ્બરે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન
Live TV
-
રાજ્યમાં આગામી 24 અને 25 નવેમ્બરે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન
રાજ્યના તમામ તાલુકાઓમાં આગામી 24 અને 25 નવેમ્બરે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવશે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં 30 સ્ટોલ સાથે સાતેય તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવ તથા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાશે. પંચમહાલના પ્રતિનિધી વિપુલ પુરોહિતે જણાવ્યું કે આ કાર્યક્રમના સુચારુ આયોજનને લઇને જિલ્લા કલેકટર આશિષ કુમારના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. દરેક કાર્યક્રમ સ્થળે 30 સ્ટોલ લગાવવામાં આવશે. જેમાં 15 સ્ટોલ કૃષિ, બાગાયત, બીજ નિગમ, એગ્રો ઇન્ડસ્ટ્રીઝ વગેરેના હશે. જ્યારે 15 સ્ટોલ સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત વિવિધ યોજનાઓના લાભ અંગેના હશે. જિલ્લાના નાગરિકો આ સ્ટોલ ખાતે સરકારી સેવાઓનો લાભ લઈ શકશે.
