રાજ્યમાં આગામી 48 કલાક સુધી મહત્તમ તાપમાન યથાવત્ રહેશે
Live TV
-
2 દિવસ બાદ પવનની દિશા બદલાવાથી મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશેઃ હવામાન વિભાગ
રાજ્યમાં આગામી 48 કલાક સુધી મહત્તમ તાપમાન યથાવત્ રહેશે. જ્યારે 2 દિવસ બાદ પવનની દિશા બદલાવાથી મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે તો સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી 7 દિવસ સુધી મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રી સુધી રહી શકે છે.
રાજ્યના બાકીના પ્રદેશમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. 27 એપ્રિલથી 1 મે સુધી દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળો પવન ફૂંકાઈ શકે છે તો રાજ્યનું સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં 43.9 ડિગ્રી અને અમરેલીમાં 43.1 ડિગ્રી નોંધાયું છે.