રાજ્યમાં આજે 47,506 ટેસ્ટ કરવામા આવ્યા, નવા 675 કેસ નોંધાયા
Live TV
-
રાજ્ય સરકારના સઘન પ્રયત્નોના પરિણામે કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આજે 24 કલાકમાં નવા 675 કેસ નોંધાયા છે.
રાજ્યમાં આજે 851 નવા દર્દીઓ સાજા થયા છે અને તેની સાથે સાજા થવાનો દર 95.10 ટકા થયો છે. અત્યાર સુધીમાં રાજ્યભરમાં કુલ 2,38,965 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં આજે કુલ 47, 506 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,88,468 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.
રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 7968 છે, જેમાંથી 59 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 7909 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં નવા 5 દર્દીઓના મોત થયા છે અને તેની સાથે કુલ મોતનો આંકડો 4340 પર પહોંચ્યો છે.
અમદાવાદ જિલ્લામાં નવા 129 કેસ, સુરત જિલ્લામાં નવા 123 કેસ, રાજકોટ જિલ્લામાં નવા 90 કેસ નોંધાયા છે.
