રાજ્યમાં કોરોનાનાં 33 નવા દર્દીઓ સાથે રિકવરી રેટ 98.72 ટકા થયો
Live TV
-
રસીકરણ મહાઅભિયાનને વેગ આપવાના કારણે રાજ્યમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 33 કેસ નોંધાયા છે. જ્યારે 71 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે. અમદાવાદમાં આજે 4, સુરતમાં 4, રાજકોટમાં 1, વડોદરામાં 6 અને તાપીમાં 4 કેસ નોંધાયા છે. તો રાજ્યમાં આજે કોરોનાના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.
બીજી તરફ રાજ્યમાં આજે સાંજ 5 વાગ્યા સુધીમાં 8 લાખ 13 હજાર 924 લોકોનું કોરોના વિરુધ્ધ રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8 લાખ 13 હજાર 238 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે જ રાજ્યમાં સાજા થવાનો દર 98.72 ટકા થયો છે. તો રાજ્યમાં અત્યારે કોરોનાના 493 એક્ટિવ કેસ છે.
