રાજ્યમાં કોરોનાના નવા 56 કેસ, 196 દર્દી સાજા થયા
Live TV
-
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા કોરોનાના કેસ 56 નોંધાયા છે. જ્યારે 1 લોકોના મૃત્યુ થયા છે. અને 196 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા કોરોનાના કેસ 56 નોંધાયા છે. જ્યારે 1 લોકોના મૃત્યુ થયા છે. અને 196 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં જો એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો 1356 કેસ છે. જેમાંથી 1348 લોકોની સ્થિતિ સ્ટેબલ છે. જ્યારે 08 દર્દી વેન્ટીલેટર પર છે.
રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 8,12,718 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે રાજ્યમાં કોરોનાના કારણે કુલ મૃત્યુ આંક 10,073 થયો છે. રાજ્યમાં રિક્વરી રેટ સુધરીને 98.61 ટકા થયો છે.
