રાજ્યમાં જોબ ફેરનું આયોજન, શિક્ષિત બેકારોને મળશે લાભ
Live TV
-
હાલમાં સરકારની શિક્ષિત બેકાર યુવાનો પ્રત્યેની સંવેદના તેમજ ચિંતાને ધ્યાને લઈ હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં મેગા જોબ ફેર યોજાઈ રહ્યા છે.
જેને અનુલક્ષીને સુરત ખાતે વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેશન હોલમાં સુરત રોજગાર કચેરી તથા અન્ય ચાર સંસ્થાઓના સથવારે મેગા જોબ ફેર યોજાયો હતો.
આ જોબ ફેરમાં શિક્ષિત બેકારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ જોબ ફેરમાં પચાસ જેટલા નોકરી દાતાઓ પણ હાજર રહ્યા હતા અને તેમના દ્વારા નોકરી ઇચ્છુકોને તત્કાલ નોકરી આપવાનો નિષ્ઠાવાન પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ઉપરાંત રાજ્યમાં પાટણ, અરવલ્લી, મહિસાગર અને નડિયાદમાં પણ જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે.
