રાજ્યમાં નવા 1021 દર્દીઓ સાજા થયા, તો નવા 13 દર્દીઓના મોત
Live TV
-
આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 1067 નવા કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં 1021 દર્દીઓ સાજા થયા છે, તેની સાથે સાજા થવાનો દર 80 ટકાએ પહોંચ્યો છે.
અત્યાર સુધીમાં કુલ 70,250 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં નવા કેસની સાથે કુલ કેસનો આંકડો 87,846 પર પહોંચી ગયો છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 14,686 છે, જેમાંથી 75 વેન્ટિલેટર પર છે અને 14611 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાંથી 70250 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં નવા 13 દર્દીઓના મોત થયા છે અને તેની સાથે કુલ મૃત્યુનો આંકડો 2910 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લામાં 229, અમદાવાદ જિલ્લામાં 165 અને વડોદરા જિલ્લામાં 120 નવા કેસ નોંધાયા છે.
