રાજ્યમાં નવા 1190 કેસ નોંધાયા, તો 17 નવા દર્દીઓના મોત
Live TV
-
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં આજે કોરોનાના નવા 1190 કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં 1193 દર્દીઓ સાજા થયા છે, જેની સાથે સાજા થવાનો દર 80.48 ટકાએ પહોંચ્યો છે.
અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 73,501 દર્દીઓ સાજા થયા છે. તો નવા કેસની સાથે રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 91,329 પર પહોંચી છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 14,864 છે, જેમાંથી 91 વેન્ટિલેટર પર છે અને 14,773 સ્ટેબલ છે. રાજ્યમાં આજે નવા 17 દર્દીઓના મોત થયા છે અને તેની સાથે કુલ મરણનો આંકડો 2964 પર પહોંચી ગયો છે.
આજે સુરત જિલ્લામાં નવા 258, અમદાવાદ જિલ્લામાં 163 અને વડોદરા જિલ્લામાં નવા 123 કેસ નોંધાયા છે.
