રાજ્યમાં નવા 53 કેસ નોંધાયા તો 258 દર્દીઓ થયા સાજા
Live TV
-
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 53 કેસ નોંધાયા છે. તો સામે 258 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. નવા દર્દીઓ સાજા થવાની સાથે રાજ્યમાં રિકવરી રેટ 98.64 ટકાએ પહોંચ્યો છે.
રાજ્યમાં આજે 3 લાખ 2 હજાર 282 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 12 હજાર 976 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ સક્રિય કેસની સંખ્યા 1151 છે, તો 8 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
રાજ્યમાં આજે એકપણ દર્દીનું મોત થયું નથી. અમદાવાદ જિલ્લામાં આજે 11 કેસ નોંધાયા છે.
