રાજ્યમાં નવા 868 દર્દીઓ સાજા થયા, તો 4 દર્દીઓના મોત
Live TV
-
રાજ્યમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 655 કેસ નોંધાયા છે.
રાજ્યમાં નવા 868 દર્દીઓ સાજા થયા છે, તો સાજા થવાની સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 94.71 ટકા થયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2,35,426 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,02,650 વ્યક્તિઓને ક્વૉરેન્ટાઈન કરવામાં આવ્યા છે. આજે અમદાવાદ જિલ્લામાં નવા 141 કેસ, સુરત જિલ્લામાં નવા 124, વડોદરા જિલ્લામાં નવા 124 કેસ અને રાજકોટ જિલ્લામાં નવા 73 કેસ નોંધાયા છે.
રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 8830 છે, જેમાંથી 59 વેન્ટિલેટર પર છે અને 8771 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં આજે નવા 4 દર્દીઓના મોત થયા છે અને તેની સાથે રાજ્યમાં મૃત્યુઆંક 4325 પર પહોંચ્યો છે.
