રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાયરસના 391 કેસ, 34 ના મોત
Live TV
-
191 લોકોને રવિવારે સારવાર બાદ રજા આપવામાં આવી, રાજ્યમાં અત્યાર સુઘીમાં 11,380 કેસ નોંધાયા
રાજ્યમાં કોરોના સંક્રમિત કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગત છેલ્લા 24 કલાકમાં વધુ 391 પોઝિટિવ કેસો નોંધાયા હતા જ્યારે કુલ 34 લોકોના મૃત્યુ થયા છે. જેમાં 34 મૃત્યુ પૈકી 31 મૃત્યુ અમદાવાદમાં થયા છે. તો કુલ 191 લોકોને સારવાર બાદ ગઇકાલે રજા આપવામાં આવી છે. આમ રાજ્યમાં કોરોનાના અત્યાર સુધી 11 હજાર 380 કેસ નોંધાયા છે. ગઇકાલે નોંધાયેલા કેસ પૈકી સૌથી વધુ 276 કેસ અમદાવાદમાં નોંધાયા છે. આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો.જયંતી રવીએ આ વિશે વધુ માહિતી આપી હતી.
