રેલવેમંત્રી પિયુષ ગોયલે કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી
Live TV
-
કેવડિયામાં રેલવે કનેક્ટિવિટી વધારવા ભાર, માર્ચ સુધીમાં નવી રેલવે માટેની જમીન સંપાદનનું કામ પૂર્ણ થઈ જશે
આજે કેન્દ્રીય રેલવે મંત્રી પીયૂષ ગોયલ કેવડીયા આવ્યા હતા. અહી તેમણે પ્રસિદ્ધ પર્યટન સ્થળ સ્ટેચ્યૂ ઑફ યૂનિટીની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે પત્રકારો સાથેની વાતચીતમાં તેમને જણાવ્યું હતું કે કેવડિયા સાથે દેશની તમામ ટ્રેનને જોડાશે. તેમણે વધુમાં કહ્યું કે કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધી બધા લોકો કેવડિયા આવી શકશે તેમજ માર્ચ સુધીમાં નવી રેલવે માટેની જમીન સંપાદનનું કામ પૂર્ણ થઈ જશે. તેમણે કેવડિયામાં બનનાર એશિયાના સર્વપ્રથમ ગ્રીન રેલ્વે સ્ટેશનનું પણ નિરીક્ષણ કર્યું હતું.
