લોકસભાની ચુંટણી માટે કોંગ્રેસે કરી રણનીતિ શરૂ
Live TV
-
નવસારીના કાર્યકર્તા સંમેલનમાં આવેલા વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધનાણીએ પ્રતિક્રિયા આપતા ભાજપ પર ન્યાયપાલિકાને પ્રભાવિત કરવાના આરોપો કર્યા.
આગામી દિવસોમાં આવનાર લોકસભાની ચુંટણીનાં પડઘમની ગુજન સંભળાય રહયા છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસે માટે ચુંટણી મોટો પડકારો છે. પક્ષની મોવડીને માર્ગદર્શન પૂરી પાડી જીલ્લા કોંગ્રેસને મજબૂત બનાવવાની રણનીતિ ઘડી વર્તમાન સરકારે ચાર વર્ષમાં કોઈ પ્રજાલક્ષી કામગીરી કરી જોવા મળી નથી અને દેશની જીડીપી ગણતરી બદલી દેશની જનતાને ગુમરાહ કરવામાં આવી રહી છે. તેમજ ગુજરાતના બહુચર્ચિત નરોડા પાટિયા હત્યાકાંડમાં આજે ચુકાદો આવ્યો છે. જેમાં કેટલાકને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મુકવામાં આવ્યા છે. જેને લઈ વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે. નવસારીના કાર્યકર્તા સંમેલનમાં આવેલા વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધનાણીએ પ્રતિક્રિયા આપતા ભાજપ પર ન્યાયપાલિકાને પ્રભાવિત કરવાના આરોપો કર્યા હતા.
