વંદે ભારત મિશન અંતર્ગત દક્ષિણ ગુજરાતના 110 જેટલા વિદ્યાર્થીઓ વિદેશથી પોતાના માદરે વતન પરત ફર્યા
Live TV
-
આ તમામ વિધાર્થીઓ રશિયા, ફ્રાંસ, ફિલીપાઈન્સ, બેલારુશ જેવા વિદેશોમાંથી પરત આવેલ છે.
વિશ્વભરમાં કોરોનાના સંકટ વચ્ચે વિદેશમાં રહેલા ભારતીયોને પરત લાવવા વંદે ભારત મિશન અંતર્ગત કામગીરી થઈ રહી છે .ત્યારે દક્ષિણ ગુજરાતના 110 જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓ હવાઈ માર્ગે ગુજરાત માદરે વતન પરત આવતાં નવસારી સાંસદ સી આર પાટીલે મુલાકાત કરી પડેલ મુશ્કેલીઓ અર્થે વિચારવિવર્સ કરી સાંત્વના પાઠવી હતી. આ તમામ વિધાર્થીઓ રશિયા, ફ્રાંસ, ફિલીપાઈન્સ, બેલારુશ જેવા વિદેશોમાંથી પરત આવેલ છે. આ વિધાર્થીઓને નવસારી ખાતે શૈક્ષણિક તાલીમ કેન્દ્ર અને પ્રાઈવેટ મકાનમાં કોરોન્ટટાઈન કરવામાં આવ્યા છે. આમ ભારત સરકારે કોરોના વાયરસ અને લોક ડાઉનને પગલે અન્ય દેશોમાં રહેલા ભારતીયો ને વતન પરત લાવવા કરેલા આયોજન રૂપે આજે આ વિધાર્થીઓ વિદેશો થી વતન ગુજરાત પહોંચતાં હર્ષની લાગણી સાથે સરકારનો આભાર વ્યકત કરી રહિયા છે. નવસારી સાંસદ સી આર પાટીલે મુલાકાત કરી પડેલ મુશ્કેલીઓ અર્થે વિચારવિવર્સ કરી સાંત્વના પાઠવી હતી.
