વડોદરામાં ઔષધ પ્રયોગશાળાની નવી ઇમારતનું ભૂમિપૂજન
Live TV
-
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે રૂપિયા 48 કરોડના ખર્ચે વડોદરાની ખોરાક અને ઔષધ પ્રયોગશાળાની નવી બંધાનારી દસ માળની ઇમારતના કામનું ભૂમિપૂજન કર્યું હતું.

નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, વડોદરાની ખોરાક અને ઔષધ પ્રયોગશાળા એ દવા અને ખોરાકના નમૂનાઓની વિશ્વનીય ચકાસણી દ્વારા લોકઆરોગ્યના રક્ષણમાં પ્રસંશનીય યોગદાન આપ્યું છે. આ પ્રયોગશળામાં ગુજરાત ઉપરાંત દેશના અનેક રાજ્યો ખોરાક અને દવાઓના નમૂનાઓની ચકાસણી કરાવે છે એ જોતાં તેની કામગીરીનો વ્યાપ વધ્યો છે. આ પ્રયોગશાળા વધુ નમૂનેદાર અને અદ્યતન બનશે તથા તેની કામગીરી વધુ સચોટ,અસરકારક અને પ્રભાવશાળી બનશે.
