વન વિભાગના વિસ્તારમાં નુકશાનકારક કોનોકાર્પસના રોપા ઉછેર ન કરવા વન વિભાગે આપ્યો આદેશ
Live TV
-
કોનોકાર્પસના પરાગરજકોના કારણે નાગરિકોમાં શરદી, ઉધરસ, અસ્થમા, એલર્જી થવાની શકયતા છે
વન વિભાગની નર્સરીઓમાં અને વન વિભાગના વિસ્તારમાં નુકશાનકારક કોનોકાર્પસના રોપા ઉછેર ન કરવા વન વિભાગે આદેશ આપ્યો છે. તેમજ રાજ્યમાં ખાનગી ધોરણે પણ કોનોકાર્પસના વાવેતર ઉછેર પર પ્રતિબંધ લગાવવા માટે પણ વન વિભાગે દરખાસ્ત કરી છે.
નોંધનીય છે કે વિદેશી પ્રજાતિ કોનોકાર્પસથી પર્યાવરણ અને માનવજીવન ઉપર નકરાત્મક અસરો ગેરફાયદાઓને લઈને નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે કોનોકાર્પસના મૂળ જમીનમાં ઊંડે સુધી જાય છે તેથી તે ઘણા સંદેશાવ્યવહાર કેબલ, ઘણી ડ્રેનેજ લાઇન અને તાજા પાણીની વ્યવસ્થાને નુકશાન પહોંચાડે છે, તેમજ કોનોકાર્પસના પરાગરજકોના કારણે નાગરિકોમાં શરદી, ઉધરસ, અસ્થમા, એલર્જી જેવા રોગો થવાની શકયતા છે.