વલસાડના ધારાસભ્ય ભરતભાઇ પટેલનો કોરોના વેક્સિન જાગૃતિ માટે અનેરો પ્રયાસ
Live TV
-
કોરોનાની રસી લેવાના સબંધમાં અનેક લોકોમાં ગેરસમજ હોય છે તેને દુર કરવાના ભાગરૂપે વલસાડના ધારાસભ્ય ભરતભાઇ પટેલે અનેરો પ્રયાસ શરૂ કર્યો છે. ભરતભાઈ પટેલે તેમની ટીમ સાથે વલસાડના અલગ-અલગ વોર્ડમાં સાયકલ ઉપર પ્રવાસ કરીને લોકોને કોરોનાની રસી લેવા જાગૃત કરી રહ્યાં છે. તેમની સાથે આ રસી લેવાના અભિયાનનો પ્રચાર કરવા માટે વલસાડ નગરપાલિકા પ્રમુખ, ભાજપના હોદ્દેદારો, અને કાર્યકર્તાઓ તેમજ યુવાનો પણ જોડાઈને શહેરના નાગરિકોને વેકસીન લેવા માટે જાગૃત કરી રહ્યા છે. સાથે કોરોના વાયરસ સામે લડવા માટેના કોરોના નિયમોના પાલનની સમજ અને વેક્સિન અંગે પણ માહિતી આપે છે.
