વાંકનેરના ગ્રામજનોએ પાણી બતાવ્યું, સ્વખર્ચે પુલ બનાવ્યો
Live TV
-
જનશક્તિ ધારે તો શું ન કરી શકે? જનસંકલ્પ અને જનશક્તિનું પરિણામ વાંકાનેર પાસેનો એક પૂલ છે.
વાત એમ છે કે વાંકાનેર તાલુકાના પાજ ગામે આવનજાવન માટે મચ્છુ નદી પાર કરીને જવું પડતું હતું. પરિણામે છેલ્લા ઘણા સમયથી પૂલ બનાવવાની માગણી હતી. છેવટે ગ્રામજનોએ સ્વખર્ચે પૂલ બનાવવાનો નિર્ણય કર્યો અને પૂર્ણ પણ કરી દેખાડ્યો. સમાજના દાતાઓ અને વેપારી ભાઈઓએ ગ્રામ લોક સમિતિની રચના કરી આ બ્રિજનું નિર્માણ કર્યું છે. બ્રિજના લોકાર્પણ સમારોહમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણા, , પ્રાંત અધિકારી જિજ્ઞાસાબેન ગઢવી, મામલતદાર વીસી ચાવડા, ટીડીઓ એસ.એ. ચાવડા સહિતના હાજરી આપી હતી.
